સારહી યુથ ક્લબ વિશે

"સેવા પરમો ધર્મ" અને રાષ્ટ્રવાદના વિચારને કેન્દ્રમાં રાખી 1991માં સારહી યુથ ક્લબની રચના કરવામાં આવી હતી.નાના સ્તરે શરૂ કરવામાં આવેલ વિવિધ સાંસ્કૃતિક, સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિને મુકેશભાઈ સંઘાણીના નેતૃત્વમાં ઉત્તમ વ્યવસ્થાના ફ્રેમવર્ક વડે વ્યાપક સ્તરે આગળ વધારવામાં આવી રહી છે.સેવાકીય - સામાજિક પ્રવૃત્તિની સાથો સાથે કુદરતી આપદા સમયે જરૂરીયાતમંદ લોકો માટે શક્ય એટલી વધુ મદદરૂપ થવાના કાર્યો આ સંસ્થા કરી રહી છે.

જરૂરિયાતમંદ લોકો પ્રત્યે સહકાર અને સેવાની ભાવના ન ધરાવતા વ્યક્તિનું જીવન વ્યર્થ છે. જરૂરીયાતમંદ લોકો વિશે વિચારવાનું એમના પ્રત્યે સંવેદનશીલ બનવાના પ્રયત્નો કરો ત્યારે એમાંથી " નિસ્વાર્થ સેવા "ની શરૂઆત થાય છે..

મુકેશ સંઘાણી

પ્રમુખશ્રી સારહી યુથ ક્લબ, અમરેલી

સારહી તપોવન આશ્રમ

સંકલ્પથી સિદ્ધિ
મીડિયા કવરેજ
તપોવન વર્ચ્યુલ ટુર
બ્રોશર ડાઉનલોડ

અમરેલી શહેરની ભાગોળે નિરાધારોના આધાર સમાન સારહી તપોવન આશ્રમનું નિર્માણ કરવામાં આવ્યું છે. જીવનપર્યંત આત્મસન્માન સાથે જીવનારા માનવીઓ અણધાર્યા સંજોગોવશાત ઘર, પરિવારનો આધાર ગુમાવી બેસે ત્યારે એવા નિરાધારો એમનું બાકીનું જીવન સન્માનભેર, ઉલાસભેર સુવિધાયુક્ત વાતાવરણમાં  વિતાવી શકે એવી નિઃશુલ્ક વ્યવસ્થા તપોવન આશ્રમમાં કરવામાં આવી છે.

25000 સ્કવેર મી.નું વિશાળ ગ્રીન - ક્લીન કેમ્પસ, આધુનિક ભોજનશાળા, જરૂરી સગવડતાઓ સાથેના રૂમો અને ગુણવત્તાસભર વ્યવસ્થાઓ ધરાવતું સેવાના સરનામાં સમાન તપોવન આશ્રમ સારહી યુથ કલબનું સમાજ માટે નમ્ર સેવાર્પણ છે.

TOP STORY

સેવાકીય પ્રવૃત્તિ

સામાજિક પ્રવૃત્તિ

સંસ્થા દ્વારા લોકહિતાર્થે અવિરત સામાજિક પ્રવૃતિઓ ચાલતી રહે છે.

  • વિવિધ સ્તરે પોલિયો કેમ્પ , એઈડ્સ જેવી મહામારી સામે એન.જી.ઓ ,શાળા કોલેજોને સાથે રાખી સામુહિક જનજાગૃતિ અભિયાન.
  • નાગરિકો અને વિદ્યાર્થીઓમાં રાષ્ટ્વાદની ભાવના પ્રજ્વલિત રાખવા દેશભક્તિ સંલગ્ન આયોજનો.

સક્સેસ સ્ટોરી

25+
વર્ષ
500+
વોલેન્ટીયર
150+
કાર્યકમો
32000+
લાભાર્થી

Testimonials